Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મનિષને મળ્યો નેગેટિવ રોલ

ટીવી શો નાગિનમાં રોલ નિભાવી રહેલા અભિનેતા મનિષ ખન્ના વધુ એક શોમાં પણ જોાવ મળશે. ઝી ટીવીના શો ઇશ્ક સુભાન અલ્લાહને સારા દર્શકો મળ્યા છે. આ શો તેની રસપ્રદ સ્ટોરીને કારણે જાણીતો બન્યો છે. હવે આમાં અનેક નવા વળાંકો આવશે અને દર્શકો ચોંકી જશે. નવા એક ચહેરાની એન્ટ્રી તરીકે ટીવી અભિનેતા મનિષ ખન્નાને લાવવામાં આવ્યો છે. તે આ શોમાં નેગેટિવ રોલમાં દેખાશે. શોના મુખ્ય પાત્ર અદનાન ખાનના પિતાના મિત્ર તરીકે મનિષની શોમાં એન્ટ્રી થઇ છે. આ પાત્રનું નામ જલાલી રખાયું છે. કલર્સની લોકપ્રિય ટીવી સિરીયલ નાગિન સિરીઝમાં મનિષે કામ કર્યુ છે અને લોકચાહના મેળવી છે. આ ઉપરાં તેણે ફિલ્મો જય હો, ડી-ડે, ઝમીન પણ કરી છે. ઇશ્ક સુભાન અલ્લાહ શોમાં મુસ્લિમ પરિવારોની કહાની છે. જેમાં રાજકિય, ધાર્મિક ઉપરાંત સામાજીક મુદ્દાઓ પણ રજૂ થઇ રહ્યા છે. ૪૩ વર્ષિય અભિનેતા મનિષએ અનિલ કપૂરની ફિલ્મ માય વાઇફસ મર્ડરમાં પણ રોલ નિભાવ્યો હતો. આ ઉપરાંત ટીવી શો શશશહહ...ફિર કોઇ હૈ, એક હજારો મેં મેરી બહેના હૈ, રૂક જાના નહિ, જય હનુમાન સહિતના શો કર્યા છે.

(10:01 am IST)