Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પાકિસ્તાનમાં રિલીઝ થઇ ફિલ્મ 'ટોટલ ધમાલ'

મુંબઇ:  અજય દેવગણે  સોમવારે ઘોષણા કરી છે કે, તેની આવનારી ફિલ્મ 'ટોટલ ધમાલ' પાકિસ્તાનમાં રીલિઝ નહીં કરવામાં આવે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના આતંકી હુમલામાં ભારતના ૪૦ જવાન શહીદ થઇગયા હતા. જેની જવાબદારી પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્હદે લીધી હતી. અજયે દેવગણે ટ્વિટ કરીનેજ્ણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 'ટોટલ ધમાલ' ફિલ્મને પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રિતેશ દેશમુખે પણ ટ્વિટ કરીને ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહીં કરવાની અરજ કરી હતી.ભારતમાં ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પોલઇઝએ રવિવારે જણાવ્યું હતુ ંકે, ફિલ્મના નિર્માતાઓને ભારતના જવાનો પરના ઘાતકી હુમલા બાદ પાકિસ્તાનમાં પોતાની ફિલ્મો રીલિઝ કરવાની અનુમતિ આપવામાં આવશે નહીં. ઉપરાંતઆ ફિલ્મની ટીમે શહીદ જવાનોના પરિવારોને રૂપિયા ૫૦ લાખની આર્થિક સહાય કરી છે. ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, અરશદ વારસી, જાવેદ જાપરી અને રિતેશ દેશમુખ કામ કરી રહ્યા છે. 

 

 

(5:19 pm IST)