Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

પરિધિ હવે બનશે માતા વૈષ્ણો દેવી

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી પરિધિ શર્મા નવા ટીવી શોમાં જોવા મળશે. પરિધિ વર્ષ ૨૦૧૩-૧૫માં આવેલા શો જોધા-અકબરમાં જોધાનો રોલ નિભાવી ચુકી છે. લાંબા સમયથી ટીવી પરદેથી ગાયબ થયેલી આ અભિનેત્રીએ જોધાના રોલ માટે ખુબ પ્રશંસા એકઠી કરી હતી. હવે ફરીથી તે એક ધાર્મિક શો થકી ટીવી પરદાના પોતાના ચાહકો સામે આવી રહી છે.

માતા વૈષ્ણો દેવી પરનો એક ટીવી શો બની રહ્યો છે. આ શોમાં પરિધિ માતાજી વૈષ્ણો દેવીનું પાત્ર ભજવશે. સ્ટાર ભારત પર આ શો પ્રસારિત થવાનો છે. નિર્માતા અરવિંદ બબ્બલના આ શોમાં લગભગ ૫૦ એપિસોડ હશે. જોધા અકબર પહેલા પરિધિએ તેરે મેરે સપને, રૂક જાના નહિ સહિતના શોમાં કામ કર્યુ હતું. જોધાનો ડ્રેસ પહેરીને તે એકતાની સામે પહોંચી અને ડાયલોગ બોલ્યો ત્યાં જ તેને પસંદ કરી લેવાઇ હતી.

(9:44 am IST)