Gujarati News

Gujarati News

News of Sunday, 18th August 2019

હું અને અનુષ્કા શેટ્ટી સારા મિત્રો છીએ : પ્રભાસ

મુંબઇ,તા.૧૮: વર્ષ ૨૦૧૮માં પ્રભાસે સાઉથ હિરોના સંબંધી સાથે લગ્નના સમાચાર આવ્યા હતા. તે બીજું કંઈ નહીં પણ ચિરંજીવીની ભત્રીજી નિહારિકા હતી. આ અહેવાલો મળતાની સાથે જ ચિરંજીવીની ભત્રીજીએ આ સમાચારને માત્ર અફવા ગણાવી હતી. અનુષ્કા શેટ્ટી ઉપરાંત પ્રભાસનું નામ અનેક અભિનેત્રીઓ સાથે સંકળાયેલું છે. અનુષ્કા શેટ્ટી સાથેના સંબંધના સમાચાર અંગે પ્રભાસે પોતાનું મૌન તોડ્યું છે. પ્રભાસે કહ્યું કે 'અનુષ્કા અને હું ફક્ત મિત્રો જ છીએ પરંતુ જો અમારી વચ્ચે વધારે કંઇ હોત તો છેલ્લા ૨ વર્ષમાં કોઈએ અમને સાથે ન જોયો હોત?

પ્રભાસે વધુમાં કહ્યું કે 'કરણ જોહરના શોમાં પણ મને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. મેં રાજામૌલી અને રાણા દગ્ગુબતીને આનો જવાબ આપવા દીધો. તેમણે ત્યાં કહ્યું કે અમારી વચ્ચે આવું કંઈ નથી. ફિલ્મ બાહુબલી પછીથી ચાહકોએ આ બંનેને ખૂબ જ પસંદ કર્યા  છે,  ત્યારબાદ આ સમાચારને વેગ મળ્યો. એવા અહેવાલો પણ મળી  રહ્યા છે કે પ્રભાસ અને અનુષ્કા લોસ એન્જલસમાં ઘર ખરીદવાના છે. આ પહેલા ઇન્ટરવ્યું દરમિયાન જ્યારે પણ પ્રભાસને તેના લગ્ન વિશે સવાલ કરવામાં આવતા ત્યારે તેમણે કહ્યું હતું કે તે તેમની અંગત બાબત છે. આ વિશે કોઈને કંઈપણ કહેવા માંગતા નથી.

(1:25 pm IST)