Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ટીવી શોને લીધે સાઉથની ફિલ્મોથી દૂર રહેશે શિવાંગી

સ્ટાર પ્લસના શો 'મહેંદી હૈ રચને વાલી'ની મુખ્ય અભિનેત્રી શિવાંગી ખેડકરને આ સિરીયલને કારણે સારી એવી ઓળખ મળી ગઇ છે. તે આ કારણે જ ટીવી પરદે સતત કામ કરતી રહેવા ઇચ્છે છે. તે કહે છે હાલમાં મને દક્ષિણ ભારતમાંથી અનેક ફિલ્મોની ઓફર મળી રહી છે. પરંતુ મારે હાલમાં ફિલ્મોમાં નહિ, ટીવી શોમાં કામ યથાવત રાખવું છે. 'તે શોમાં પલ્લવીનું મુખ્ય પાત્ર ભજવી રહી છે.  આ સિરીયલનું શુટીંગ શરૂ થયું ત્યારે જ શિવાંગી ખેડકરે ચેનલ અને નિર્માતા સમક્ષ ર સ્પષ્ટતા કરી હતી કે તેની સાઉથની ફિલ્મોનું શૂટ ચાલુ થવાનું હોવાથી પોતે ૧૦૦થી વધારે એપિસોડ નહીં કરી શકે. પરંતુ હવે શોના ૧૦૦ એપિસોડ પૂરા થઈ ગયા છે, પણ એ પછી પણ શિવાંગી શો સાથે જોડાઇ રહેવા ઇચ્છે છે. તે કહે છે ફિલ્મ કરતાં ટીવીના દર્શકો વધુ સક્રિય અને જોડાયેલા હોય છે. મને અફસોસ થાય છે કે આજ સુધી મેં કેમ ટીવી સિરિયલ નહોતી કરી. શિવાંગી સાઉથની પહેલા દરજ્જાની અભિનેત્રી છે. તેણે અત્યાર સુધી સાઉથમાં ૨૦થી વધુ ફિલ્મો કરી છે અને ૪ ફિલ્મો તેણે સાઇન કરી રાખી છે.

(10:07 am IST)