Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

૪૮ વર્ષની મલાઇકા ટુંકા સમયમાં બનશે નવવધુઃ અર્જુન કપુર સાથે લગ્નની તૈયારી?

રોમેન્‍ટિક કપલ નવેમ્‍બર કે ડીસેમ્‍બરમાં બનશે ‘હમસફર'

મુંબઇ, તા.૧૮: બોલિવૂડનું સૌથી રોમેન્‍ટિક અને પ્રેમાળ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ટૂંક સમયમાં કાયમ માટે એક થઈ શકે છે. જો રિપોર્ટ્‍સનું માનીએ તો અર્જુન અને મલાઈકા તેમના પ્રેમ સંબંધને નવું નામ આપવા માટે તૈયાર છે. જી હા, લવ બર્ડ્‍સના લગ્નના સમાચારો જોરમાં છે.

મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્ન કરીને એકબીજાના સાથી બનવાની યોજના બનાવી રહ્યા છે. એવી ચર્ચા છે કે રોમેન્‍ટિક કપલ અર્જુન અને મલાઈકા આ વર્ષે નવેમ્‍બર અથવા ડિસેમ્‍બર મહિનામાં શિયાળુ લગ્ન કરી શકે છે.

રિપોર્ટ્‍સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડના નવા ટ્રેન્‍ડને અનુસરીને અર્જુન અને મલાઈકા ઈન્‍ટિમેટ વેડિંગ કરવા ઈચ્‍છે છે. બંનેના લગ્ન તેમના નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં મુંબઈમાં થશે. તેમના લગ્નની નોંધણી કર્યા પછી, અર્જુન અને મલાઈકા પરિવાર અને ઈન્‍ડસ્‍ટ્રીના લોકો માટે એક ભવ્‍ય લગ્નની પાર્ટી પણ હોસ્‍ટ કરી શકે છે.

રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્‍યું છે કે તેના લગ્નમાં મલાઈકા લહેંગા નહીં પણ સિમ્‍પલ અને ક્‍લાસી સાડી પહેરશે. તે જ સમયે, અર્જુન આ ખાસ અવસર પર કુર્તો પહેરશે. લગ્ન બાદ લવ બર્ડ્‍સ વેસ્‍ટર્ન આઉટફિટમાં લગ્નની પાર્ટીમાં ધૂમ મચાવવા તૈયાર હોય છે.

અર્જુન અને મલાઈકાના લગ્નની ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. હવે બંનેના વિન્‍ટર વેડિંગના સમાચારે ફેન્‍સને ખૂબ જ ઉત્‍સાહિત કરી દીધા છે. હવે જોવાનું એ છે કે આ બોલિવૂડ કપલ કયારે લગ્ન કરે છે.(

(4:06 pm IST)