Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

પછી સમજાયું કે એ મારા માટે નથીઃ દિવ્યાંકા ત્રિપાઠી

ટીવી પરદાની રોમાન્ટીક જોડીમાં દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનું નામ સામેલ છે. આ બંને અસલી જિંદગીના પતિ-પત્નિ પણ છે. જો કે વિવેક સાથે લગ્ન પહેલા દિવ્યાંકા અને અભિનેતા શરદ મલ્હોત્રા આઠ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતાં.  પણ બંને લગ્ન કરે એ પહેલા એક બીજાથી દૂર થઇ ગયા હતાં. દિવ્યાંકાએ તાજેતરમાં એવી વાતો જાહેર કરી છે જે તેના ચાહકો જાણવા માંગતા હશે. દિવ્યાંકાએ એક વિડીયો રિલીઝ કર્યો છે જેમાં રડતાં રડતાં તેણે કહ્યું છે કે શરદને બીજી વખત પામવા માટે મેં એ બધુ જ કર્યુ હતું જે મારે નહોતું કરવું જોઇતું.

દિવ્યાંકા ખુબ જ લાગણીશીલ થઇ કહે છે કે આઠ વર્ષ પછી અચાનક આવું કેમ થયું? મેં શરદને ફરીથી પામવા અંધવિશ્વાસનો આશરો પણ લીધો હતો. પણ પછી સમજાયું હતું કે જો પ્રેમને પામવા આવું બધુ કરવાનું હોય તો એ પ્રેમ જ નથી. મને આ બધામાંથી બહાર આવવામાં થોડો સમય લાગ્યો હતો. પરંતુ મને પછી સમજાયું હતું કે એ મારા માટે નથી બન્યો. અંધવિશ્વાસમાં કદી ફસાવું નહિ.

(9:32 am IST)