Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

શ્રીરામ રાઘવન અને રમેશ બનાવશે વધુ એક સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ

સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા શ્રીરામ રાઘવને ગયા વર્ષે અંધાધૂન નામની ફિલ્મ આયુષ્યમાન ખુરાના અને તબ્બુને લઇને બનાવી હતી. એ ફિલ્મ સુપરહિટ નિવડી હતી. આ ફિલ્મ હવે ચીનમાં પણ જોરદાર કમાણી કરી રહી છે. રિલીઝ થતાં જ ત્યાં દોઢસો કરોડ કમાઇ લીધા છે. અંધાધૂનમાં રાધિકા આપ્ટે પણ ખાસ રોલમાં હતી. અંધ પિયાનિસ્ટનો રોલ નિભાવી આયુષ્યમાને વાહ-વાહી મેળવી હતી. જો કે તે હકિકતે અંધ નહોતો, પણ અંધ હોવાનું નાટક કરતો હતો. શ્રીરામ રાઘવન હવે ફરીથી થ્રિલર ફિલ્મ બનાવવા તૈયારી કરી રહ્યા છે. નિર્માતા રમેશ તોૈરાનીએ કહ્યું હતું કે શ્રીરામ સાથે મળી અમે પ્રોજેકટ ફાઇનલ કર્યો છે. જુનમાં આ ફિલ્મ ફલોર પર જશે. અમે નવા પ્રોજેકટ માટે ખુબ ઉત્સાહિત છીએ અને સતત મિટીંગો થઇ રહી છે. સ્ટારકાસ્ટ હવે નક્કી થશે.

(9:32 am IST)