Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કરણ જોહર સંજય દત્ત અને માધુરી દીક્ષિતને ફરી વાર સિનેમાના પડદે લાવશેઃ શ્રીદેવીના નિધન બાદ માધુરી દીક્ષિતને લેવા ‌વિચારણા

મુંબઇઃ કરણ જોહર આવનાર સમયમાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતને ફરી એકવાર ફિલ્મી પડદે લાવશે. કરણ જોહર શ્રીદેવીને લઇને જે ફિલ્મ બનાવવા ધારતો હતો પરંતુ તે શ્રીદેવીના અકાળે અવસાનના પગલે અટકી હતી. 

મળતી માહિતી મુજબ શ્રીદેવી સાથે આ ફિલ્મ સંજય કરવાનો હતો, પરંતુ શ્રીદેવીના અકાળ અવસાન પછી એના સ્થાને કરણ જોહરે માધુરીને લીધી હતી, જેના કારણે સંજય દત્તે ફિલ્મ છોડી દીધી હોવાની વાતો ઊડી હતી. 

1980 અને 90ના દાયકામાં સંજય દત્ત અને માધુરી દીક્ષિતે 'ખલનાયક' અને 'સાજન' જેવી કેટલીક હિટ ફિલ્મો આપી હતી અને એ સમયે બંને વચ્ચે અફેર હોવાની વાતો પણ વહેતી થઇ હતી. પરંતુ 1993માં મુંબઇમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ અને સંજય દત્તની ધરપકડ બાદ બંને લગભગ છુટા પડી ગયાં હતાં.

છેલ્લે આ બંનેએ 1997માં 'મહાનતાઃ ધ' ફિલ્મ સાથે કરી હતી. ત્યારબાદ તે બંને કોઇ ફિલ્મમાં સાથે આવ્યાં નથી. સૂત્રોદ્વારા મળતી માહિતી મુજબ, હવે કરણની ફિલ્મ 'કલંક'માં બંને સાથે દેખાશે. આ ફિલ્મનું ડાયરેક્શન અભિષેક વર્મન કરવાના છે એવી જાણકારી પણ મળી હતી.

(5:51 pm IST)