Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

ફરી એકવાર મણિરત્નમ સાથે કામ કરશે એશ્વર્યા રાય બચ્ચન

મુંબઇ:  રૂપેરી પડદે ઐશ્વર્યા રાય ૨૦૧૮માં 'ફેનીખાન'માં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ નહોતી. કેટલાય સમયથી ચર્ચા છે કે,તે અને મણિરત્નમ ફરી સાથ કામ કરવાના છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં ઐશ્વર્યાએ પોતે જ મણિરત્નમ સાથેની ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. તેણે  કહ્યું, '' હું મારા 'ગુરૂ' ડાયરેકટર સાથે ફરી કામ કરવાની છું. મારા હંમેશાથી પ્રયાસ રહ્યા છે કે, લોકો મારી ફિલ્મ જુએ, મને ફિલ્મ વિશેની માહિતી જાહેર કરવી પસંદ નથી. લોકોમાં ફિલ્મ અંગેનું કુતુહલ જળવાવું જરૂરી છે તેમ મારું માનવું છે. મણિ મારા ગુરૂ હોવાની સાથેસાથે એક ઉત્તમ દિગ્દર્શક છે. મને તેમના પ્રત્યે ગર્વ છે.મને તેમની સાથે કામ કરવામાં બહુ આનંદ આવે છે.''પહેલા એવી વાત હતી કે ઐશ્વર્યા રાય આગામી ફિલ્મમાં ડાર્ક શેડ્સમાં જોવા મળવાની છે. જોકે ઐશ્વર્યાએ આ વાતનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.  

(5:06 pm IST)