Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મારે ચોકલેટી બોયની ઇમેજ તોડવી હતી: શાહિદ કપૂર

મુંબઇ:આગેવાન અભિનેતા શાહિદ કપૂરે કહ્યું હતું કે મારી જાણ બહાર મારી ચોકલેટી હીરોની ઇમેજ બંધાઇ ગઇ હતી. મારા રોલ્સમાં મારે વૈવિધ્ય સર્જવુ ંહતું એટલે સભાનપણે પ્રયાસો કરવા પડયા.'ચોકલેટી હીરોની ઇમેજ તોડવાનું કામ સહેલું નહોતું. મારી સમક્ષ આવતી ઑફર્સને ચકાસીને મારે એ સ્વીકારવાની હતી જેથી મારી ચોકલેટી હીરોની ઇમેજ સુદ્રઢ ન થઇ જાય. મારે એ માટે ભરપુર પ્રયાસો કરવા પડયા હતા' એમ શાહિદે કહ્યું હતું.જો કે ત્યારબાદ એણે એ ઇમેજ તોડવા કેટલીક અલગ પ્રકારની ફિલ્મો કરી જેમાં હૈદર, ઊડતા પંજાબ, કમીને અને તાજેતરમાં સુપરહિટ નીવડેલી સંજય લીલા ભણસાલીની પદ્માવતનો સમાવેશ થયો હતો.હાલ શાહિદે શ્રી નારાયણ સિંઘની બત્તી ગુલ મીટર ચાલુ ફિલ્મ પૂરી કરી જે રજૂઆતને આરે છે. હવે એ હિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી કરવાનો છે.એણે કહ્યું કે હું મારી વિવિધ પ્રકારના રોલ કરવાની ક્ષમતા પુરવાર કરવા ઉત્સુક હતો પરંતુ મને વૈવિધ્યસભર સ્ક્રીપ્ટની ઑફર્સ મળતી નહોતી. મારા પ્રયાસોને સારી સ્ક્રીપ્ટ્સનંુ પીઠબળ મળે તો જ કામ થાય. આખરે હું એ કામ કરી શક્યો એનો મને આનંદ છે.

(5:39 pm IST)