Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

રામાયણ પર બનતી ફિલ્મને લઈને હું ખુબ જ સાવધાન છું: કૃણાલ કોહલી

મુંબઇ: અભિનેતા તરીકે નિષ્ફળ નીવડતાં ફિલ્મ સર્જક બની રહેલા કુણાલ કોહલીએ કહ્યું હતું કે હું હિન્દુ મહાકાવ્ય રામાયણ પરથી ફિલ્મ બનાવતી વખતે ખૂબ સાવધ રહેવાનો છું.'અગાઉ ભલે રામાયણ પરથી ફિલ્મો અને સિરિયલો બની હોય, હું એના અર્થઘટનને આજના સંદર્ભમાં રજૂ કરવાનો છું. એટલે વધુ સાવધ રહીશ અને સતત પ્રાર્થના કરતો રહીશ કે મારી ફિલ્મ કોઇ વિવાદનું નિમિત્ત બને. ઐતિહાસિક અને પૌરાણિક કથાનકો પરથી બનતી ફિલ્મો જાણ્યે અજાણ્યે વિવાદનું નિમિત્ત બની જતી હોય છે' એમ કુણાલે કહ્યું હતું.ટોચના ફિલ્મ સર્જક રામાનંદ સાગરે ૧૯૮૮માં બનાવેલી રામાયણ સિરિયલ દુનિયાભરમાં પંકાઇ હતી. પછી ૨૦૦૮ અને ૨૦૧૨માં પણ રામાયણ સિરિયલ બની હતી.પરંતુ કુણાલ કહે છે કે અમારી ફિલ્મ બધાં સર્જનો કરતાં અલગ હશે. અને હા, રામ સીતા તરીકે હું સાવ નવોદિત કલાકારોને ચમકાવવાનો છું

(4:10 pm IST)