Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મને ભૂખ લાગતી ન હતી, ૪ માસમાં ઘટયું ર૬ કિલો વજનઃ કેન્સર પર ઋષિકપુરની ટિપ્પણી

     ઋષિ કપુરએ  કેન્સરને લઇને કહ્યું છે કે પહેલા ૪ મહિના મને ભૂખ લાગતી ન હતી જેથી મારૂ વજન ર૬ કિલો ઓછું થઇ ગયુ. હવે મે ૭ થી ૮ કિલો વજન વધાર્યુ છે.

     ન્યૂયોર્કમાં સારવાર લઇ રહેલ ઋષિકપુરએ કહ્યું ૯ મહિના અને ૧૬ દિવસ થઇ ગયા છે. ઘરની ખુબ જ યાદ આવે છે. ઋષિએ કહ્યું એમને ઓગષ્ટ સુધીમાં ભારત પાછા આવવાની આશા છે.

(12:07 am IST)