Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

દિલ્હીના મેડમ તુસાદમાં મુકાશે દિલજીત દોસાંઝનું સ્ટેચ્યુ

મુંબઇ:  દિલજીત દોસાંજની હાલની રીલિઝ થયેલી ફિલ્મ સૂરમા રૃપેરી પડદે ધમાલ નથી મચાવી રહી, પરંતુ તેના અભિનયના ભારોભાર વખાણ થઇ રહ્યા છે. હવે તે વધુ એક ઉપલબ્ધિ મેળવી રહ્યો છે. દિલ્હીના મેડમ તુસાદ મ્યુઝિયમે તેનું પૂતળું મુકવાનો નિર્ણય લીધો છે અને આની તૈયારી પણ શરૃ થઇ ગઇ છે. દિલજીતે ટ્વિટર પોતાની અને મ્યુઝિયમ કર્માચારીઓ સાથેની એક તસવીર મુકી છે. જેમાં  તેના પરફેક્ટ પૂતળા માટે મેઝરમેન્ટ લેવાઇ રહ્યું છે. દિલજીતે તસવીર ટ્વિટર  પર પોસ્ટ કરી છે પહેલા મ્યુઝિયમમાં રણબીર કપૂર, વિરાટ કોહલી, સલમાન ખાન અને શાહરૃખ ખાનના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે.

 


 

(3:44 pm IST)