Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કિશોર કુમારના પૂર્વજોના મકાન માટે પુત્ર-ભત્રીજા વચ્ચે વિવાદ

મુંબઈ: ભારતીય સિનેમાના પાશ્વ  ગાયક સ્વ.કિશોર કુમારના ખાંડવા સ્થિત આવેલ પૂર્વજોના મકાન માટે પુત્ર અમિત કુમારે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિત અનુસાર આ પૂર્વજોના બંગલાને લઈને પુત્ર ને ભત્રીજા વચ્ચે વિવાદ ચાલી રહેલ છે. જયારે ઘણા સમયથી આ આ બંગલાને સ્મારક તરીકેની માંગ પણ કરવામાં આવી છે. આ બંગલાનો સોદો ભત્રીજા અર્જુન કરી દીધો હોવાથી પુત્ર અમિત કુમારે ખાંદવામાં આવેલ પ્રશશનની ઓફિસમાં આ અંગ ફરિયાદ નોંધાવીને આ બંગલાની વેચાણ થતો કરાર રદ કરવા માટે કહ્યું છે. જયારે બીજી તરફ અર્જુનનું કહેવું છે કે તેના કાકા કિશોર કુમારે તેના પિતા અનુપ કુમારને આપી દીધું હતું।

(3:41 pm IST)