Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પાણીપતમાં કેમિયો કરશે દિગ્ગ્જ અભિનેત્રી જીન્નત અમાન

મુંબઇ: વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી ઝીનત અમાનને પોતાની પાનીપત  ફિલ્મ માટે આશુતોષ ગોવારીકરે સાઇન કરી હોવાની જાણકારી મળી હતી.ખુદ આશુતોષે આ માહિતીને સમર્થન આપતાં કહ્યંુ કે આ વાત સાચી છે. હોશિયારગંજની સકીનાબેગમના રોલ માટે અમે ઝીનત અમાનને સાઇન કરી હતી. આ ફિલ્મ અફઘાન સેના અને મરાઠાઓ વચ્ચે ૧૭૬૧માં થયેલી લડાઇની કથા ધરાવે છે અને અત્યાર અગાઉ આ ફિલ્મ માટે અર્જુન કપૂર તથા સંજય દત્ત અને કૃતિ સનોન સાઇન થઇ ચૂકી હતી. ગયા વર્ષના ડિસેંબરમાં આ ફિલ્મ ફ્લોર પર ગઇ હતી અને અત્યારે એનુ શૂટિંગ ચાલુ છે. આશુતોષે વધુમાં કહ્યં કે આ રોલ એક રીતે જુઓ તો કેમિયો છે. સકીનાબેગમ પોતાના રાજ્યમાંજ રહેવાનાં છે જેને પાછળથી લડાઇમાં સદાશિવરાવ ભાઉ મદદ કરે છે.રસપ્રદ વિગત એ છે કે ઝીનત અને આશુતોષે પરદા પર સાથે કામ પણ કર્યું છે. ૧૯૮૯માં આવેલી ફિલ્મ ગવાહીમાં આ બંને સાથે ચમક્યાં હતાં. ઝીનત આવતા સપ્તાહે પોતાના હિસ્સાનું શૂટિંગ શરૃ કરશે.ગવાહીમાં હાલ ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક ગણાતા શેખર કપૂર, તનુજા અને વિક્રમ ગોખલેએ પણ મહત્ત્વના રોલ કર્યા હતા. પાનીપતમાં મોહનીશ બહલ, કુણાલ કપૂર અને પદ્મિની કોલ્હાપુરે પણ ચમકવાનાં છે. 

(5:45 pm IST)