Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

હું જેમાં કામ નથી કરતો એ શો જોતો પણ નથીઃ સુનિલ

કોમેડિયન કપિલ શર્માનો શો ટીવી પરદે ખુબ જ લોકપ્રિય છે. આ શો માટે દર્શકો હમેંશા આતુર હોય છે. શો ટીઆરપીની લિસ્ટમાં પણ આગળ રહે છે. દરમિયાન આ શો બાબતે કોમેડિયન સુનિલ ગ્રોવર ઉર્ફ ડો. ગુલાટીએ એવી વાત કરી છે જેના કારણે ખુબ ચર્ચા જાગી છે. સુનિલે પોતે આ શોમાં ફરીથી આવશે કે નહિ આવે? તે અંગે પુછાતા કહ્યું હતું કે, 'હું જે શોમાં કામ કરતો હોતો નથી એ શો હું જોતો પણ નથી!'. એ પછી તેણે કહ્યું હતું કે હાલના શોમાં કંઇ નવું હોતું નથી, વારંવાર જુના સ્ટાફ સાથે દેખાડવામાં આવે છે. એક સમય હતો જ્યારે સુનિલ પણ કપિલના શોમાં કામ કરતો હતો, અને તેની કોમેડીથી દર્શકો હસી હસીને લોટપોટ થઇ જતાં હતાં. વિાવદ પછી કપિલે સુનિલની માફી પણ માંગી હતી. પણ સુનિલે આ શો કાયમ માટે છોડી દીધો હતો. સુનિલે સલમાનની ફિલ્મ ભારતમાં કામ કર્યુ છે. આ ફિલ્મ ઇદના દિવસે આવશે. 

 

(9:55 am IST)