Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

જ્યારે દિલ તૂટ્યું ત્યારે જિંદગી બેરંગ થઇ ગઇ'તીઃ શાહિદ કપૂર

શાહિદ કપૂરની ફિલ્મ 'કબિરસિંહ'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં શાહિદ એવા પ્રેમીની ભૂમિકામાં છે જેનું દિલ તૂટી ગયું છે. આ કારણે તે ખુબ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો હોય છે. તે નશો પણ કરવા માંડે છે. શાહિદનો જબરદસ્ત અભિનય ટ્રેલર જોતાં સામે આવ્યો છે. શાહિદને જ્યારે કબિરસિંહના પ્રમોશન વખતે તેની અસલી જિંદગીની લવસ્ટોરી વિશે પુછવામાં આવ્યું ત્યારે પહેલા તો તેણે આ સવાલને મજાકીયા અંદાજથી નિપટાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પછી તેણે કહ્યું હતું કે જ્યારે દિલ તૂટ્યું હતું ત્યારે મારી જિંદગી બેરંગ થઇ ગઇ હતી. દિલ તૂટે ત્યારે કંઇ સારુ લાગતું નથી, બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જોઇ રહ્યા હોય એવું લાગે છે. પણ તેમાંથી બહાર નીકળવું જરૂરી હોય છે. એક સમયે શાહિદ અને કરીના વચ્ચે અફેર હતો. આજે બંને પોતપોતાની મસ્ત મેરેજ લાઇફ જીવી રહ્યા છે. 

(9:55 am IST)