Gujarati News

Gujarati News

News of Sunday, 17th March 2019

સારા અલી ખાનનો ખુલાસોઃ તેના વાળમાંથી ગંદી દુર્ગંધ આવતી હોવાથી રોમેન્ટીક સીન કર્યા પછી ફિલ્મના હિરો તેનાથી દૂર ભાગતા

મુંબઈ : સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની બોલિવૂડમાં બે ફિલ્મો રિલીઝ થઈ છે અને તેની બંને ફિલ્મો કેદારનાથ તેમજ સિમ્બા હિટ સાબિત થઈ છે. જોકે સિમ્બામાં તેનો રોલ થોડો નાનો હતો અને તે પડદા પર 15 મિનિટ માટે જોવા મળી હતી પણ આમ છતાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે.

ફિલ્મોમાં રોલ પસંદ કરવા માટે ગજબની ચુઝી સારાની આદતો પણ હટકે છે. સારાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કેદારનાથના સેટ પર સુશાંત સિઅને સિમ્બાના સેટ પર રણવીર સિંહ તેનાથી હંમેશા પરેશાન રહેતા હતા કારણ કે તેના વાળમાંથી ગંદી દુર્ગંધ આવતી હતી. કારણોસર રોમેન્ટિક સીન પછી હીરો તેમનું નાક દબાવીને ભાગતા હતા. હકીકતમાં સારાએ કહ્યું કે તે તેની સ્કિન અને વાળની કેર કરવા માટે હંમેશા નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરે છે. સારા વાળમાં ડુંગળીનો રસ લગાવતી હતી કારણકે તેનાથી વાળ ચમકદાર અને લાંબા થાય છે. ડુંગળી રસમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. સારાએ ઈન્ટરવ્યૂ દરમિયાન સુશાંત અને રણવીરની માટે માફી પણ માગી.

(11:44 am IST)