Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

ફિલ્મ 'સરફરોશ'ની સિક્વલ બનાવવાની આમિર ખાનની ઈચ્છા

મુંબઇ:આમિર ખાનની ફિલ્મ 'સરફરોશ હિટ નીવડી હતી. તેણે ભજવેલા અત્યાર સુધીના પાત્રોમાં એસીપી રાઠોડનું પાત્ર અફલાતુન મનાઇ રહ્યું છે. આમિરના દિલની નજીક પણ આ પાત્ર રહ્યું છે. આમિરને હવે આ ફિલ્મની સિકવલની ઇચ્છા થઇ છે. આમિરે જોન મેથ્યુને આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવાનો આડકતરો ઇશારો ક્યારનો કરી દીધો છે. પરંતુ જોન તેની અન્ય ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી સરફરોશની સ્ક્રિપ્ટ પર ધ્યાન આપી શકતો નથી. જોન ્સ્ક્રિપ્ટ પર કામ શરૃ કરે પછી સરફરોશનું શૂટિંગ શરૃ થતાં સમય લાગશે તેમ બોલીવૂડના માંધાતાઓનું માનવું છે. ઉલ્લેખનીય છે કે ૧૯ વરસ પહેલા સરફરોશ ફિલમ બની હતી.

(5:14 pm IST)