Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

ખતરો કે ખિલાડીમાં જોરદાર ટક્કર આપશે તેજસ્વી

ટીવી સ્ટાર રાગિની માહેશ્વરી એટલે કે તેજસ્વી પ્રકાશને અત્યાર સુધી દર્શકોએ ટીવી પરદે વહુના રોલમાં જોઇ છે. સ્વરાગિની, પહરેદાર પિયા કી સહિતના શોની અભિનેત્રી તેજસ્વી હવે ભારતીય ટેલિવીઝન ચેનલના સોૈથી ખતરનાક શો ખતરો કે ખિલાડી-૧૦માં જોવ ામળવાની છે. આ શોનો એક પ્રોમો રિલીઝ થયો હતો. જેમાં તેજસ્વી આગથી ગરમ વાયરબેડ પર સુતેલી જોવા મળી હતી. તેને આ બેડ પર જકડીને બાંધી દેવામાં આવી હતી. રોહિત શેટ્ટીના આ શોમાં તેજસ્વી બીજા સ્પર્ધકો સામે ટક્કર આપતી જોવા મળશે. ઇંસ્ટાગ્રામ પર તેજસ્વીએ કેટલીક તસ્વીરો પોસ્ટ કરી હતી. તેજસ્વીએ એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે. તેના પિતા પણ એન્જિનીયર છે. સોશિયલ મિડીયા પર તેજસ્વીના અસંખ્ય ચાહકો છે. તે ઇંસ્ટાગ્રામ પર ૧.૫ બિલીયન ફોલોઅર્સ ધરાવે છે. કારકિર્દીની શરૂઆત તેજસ્વીએ ૨૦૧૨માં લાઇફ ઓકેના શો '૨૬૧૨'થી કરી હતી. એ પછી સંસ્કાર સહિતના શો કર્યા હતાં. ખતરો કે ખિલાડીમાં ભાગ લેવા માટે તેજસ્વીએ ખુબ મહેનત કરી છે. તેણે વજન ઓછુ કરવા માટે ખાસ તાલિમ લીધી હતી.

(10:14 am IST)