Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અજય દેવગણની ફિલ્‍મ ‘તાન્‍હાજીઃ ધ અનસંગ વોરિયર'ની બોક્‍સ ઓફિસ ઉપર ધમાલઃ 10પ કરોડની કમાણી સાથે 100 કરોડની ક્‍લબમાં સામેલ

નવી દિલ્હીઃ અજય દેવગનની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મએ પોતાના રિલીઝના છઠ્ઠા દિવસે 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. હાલના અપડેટ્સ પ્રમાણે બુધવારે ફિલ્મએ 16.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બોક્સઓફિસઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ પ્રમાણે કુલ, 6 દિવસમાં 105 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. મુંબઈ સર્કિટમાં ફિલ્મનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ રીતે વીકડેઝમાં ફિલ્મની કમાણી પર કોઈ ખાસ અસર પડી નથી.

કહેવામાં આવી રહ્યું છે કે, હજુ ફિલ્મનો આ બિઝનેસ જારી રહી શકે છે, કારણ કે સેકન્ડ વીકમાં કોઈ મોટી ફિલ્મ રિલીઝ થઈ રહી નથી. આ રીતે સેકન્ડ વીકેન્ડમાં પણ ફિલ્મની કમાણી સારી રહેવાની આશા છે. મહત્વનું છે કે આ ફિલ્મમાં અજય દેવગનની સાથે સેફ અલી ખાન અને કાજોલ મુખ્ય ભૂમિકામાં છે.

(4:46 pm IST)