Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

આપણા લગ્ન ક્યારે થશે? જ્યારે ચાલુ ઇવેન્ટમાં રણબીરે આલિયાને પૂછી લીધું

મુંબઈ,તા.૧૬: ગઈકાલે બુધવારે બ્રહ્માસ્ત્રના મોશન પોસ્ટર લૉન્ચ દરમિયાન રણબીરે મીડિયા સામે આલિયાને પૂછી લીધું કે તેમના લગ્ન ક્યારે થશે? એકટ્રેસે પણ તેનો જવાબ આપ્યો હતો.

ઇવેન્ટમાં રણબીર કપૂરે ઓડિયન્સનો સવાલ વાંચ્યો જેમાં લખ્યું હતું કે તમે આલિયા કે કોઇ અન્ય સાથે ક્યારે લગ્ન કરશો? રણબીરે કહ્યું કે છેલ્લા ૧ વર્ષમાં આપણે ઘણા કપલને લગ્ન કરતા જોયા છે ને આપણે ખુશ થવું જોઇએ. બાદમાં તેણે આલિયા સામે જોઇને પૂછ્યું આપણા લગ્ન ક્યારે થશે?

આલિયાએ રણબીરને કહ્યું તું મને કેમ પૂછી રહ્યો છે ત્યારે અયાને કહ્યું કે હાલમાં તો આપણા માટે એક જ ડેટ કાફી છે તે છે બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટ. હવે થોડી રાહ જોઇ લઇએ.

 છેલ્લા એક વર્ષથી આ કપલના લગ્નના સમાચાર હેડલાઇન્સમાં છે. જો કે હજુ સુધી બંનેએ તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અન્ય કપલની જેમ રણબીર અને આલિયા પણ મુંબઈની બહાર જઈને લગ્ન કરશે.

(3:53 pm IST)