Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

‘‘યે દીવાની તો ભવાનાની હો ગઇ’’ લગ્‍ન બાદ રણવીરસિંહે આ શબ્‍દો કહેતા જ લોકો હસી પડ્યા

રણવીર દીપિકાએ ગઈકાલે સાંજે ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોટોઝ શેર કર્યા બાદ તેમના લગ્નને લગતી અનેક વાતો સામે આવી છે. બંનેએ 48 કલાક સુધી તેમના ફોટોઝ લીક થવાથી બચાવ્યા હતા.

દીપિકાની સ્ટાઈલિસ્ટ નિતાશા ગૌરવે રણવીર સિંહે લગ્ન પછી દીપિકાને સૌથી પહેલા શબ્દો કયા કહ્યા હતા તે અંગે ખુલાસો કર્યો છે જે વાંચીને તમે પણ હસવુ નહિં રોકી શકો.

નિતાશા ગૌરવે લખ્યું, “તમારી સામે રજૂ કરીએ છીએ, મિસ્ટર અને મિસિસ ભવનાની” તેણે લખ્યું કે લગ્ન પછી સર ભવનાનીના પહેલા શબ્દો હતા, “યે દીવાની તો ભવનાની હો ગઈ!” રણવીર સિંહ તેની સેન્સ ઑફ હ્યુમર માટે જાણીતો છે અને તેણે લગ્ન પર પણ આ શબ્દોથી હાજર મહેમાનોને હસાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રણવીર સિંહની અટક ભવનાની છે. 

(4:33 pm IST)