Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

તારક મેહતા સિરિયલમાં દયાબહેન ખરેખર આવવાના છે કે નહીં?

દયાના ઓરિજિનલ પતિ મયૂર પડિયાએ આ શું કહ્યું?

મુંબઇ તા. ૧૬ :.. અમદાવાદ તમને થશે કે 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' માં હાલ તો નવરાત્રીનો માહોલ છે, જેઠાલાલ દયાને યાદ કરી રહ્યો છે., સુંદર એક સાથે નવ સ્ત્રીઓને ઊભી રાખીને કહે છે કે જો તમે દયાને ઓળખી બતાવશો તો તેની સાથે ગરબા રમી શકશો. આ પોઝીટીવ વાત વચ્ચે ખરેખર આવે છે કે નહીં એમ શા માટે પુછાઇ રહ્યું છે...?

દયાનું પાત્ર ભજવતી દિશા વાકાણી બે વર્ષના અંતરાલ બાદ 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં ધમાકેદાર એન્ટ્રી મારવાની છે એવો પ્રચાર ચેનલ દ્વારા થઇ રહ્યો છે. નવરાત્રીના અને દયાબહેનના પ્રોમો પણ આવી રહ્યા છે એવામાં દિશા વાકાણીના પતિ મયૂર પડિયાએ કહયું કે દિશાએ સીરીયલના નવરાત્રીના સ્પેશ્યલ એક એપિસોડ માટે જ શૂટ કર્યુ છે. તેણે સળંગ શોમાં આવવાની હજી હા નથી પાડી. આમી મેકર્સ સાથેની વાતચીત ચાલુ જ છે અને હજી એનો ઉકેલ નથી આવ્યો. અમે જલદી જ નીવેડો લાવીશું એ પાકું છે.'

સીરીયલના નિર્માતા અસિત મોદીએ કહયું કે અમારી દિશા સાથે વાત ચાલી રહી છે. અમે જલદી જ ઉકેલ લાવીશું. મેં પહેલાં પણ કહ્યું હતું કે શોથી મોટું કોઇ નથી.

(11:24 am IST)