Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સત્ય ઘટના પર આધારીત છે ફિલ્મ

અક્ષયકુમારની ફિલ્મ 'બેલબોટમ' ૨૭ જુલાઇએ રિલીઝ થશે

મુંબઇ,તા. ૧૬: ખતરોના ખેલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારની ફિલ્મ 'બેલબોટમ' ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે.  ફિલ્મના નિર્માતાઓએ અક્ષય કુમારની જાસૂસી થ્રિલર ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે.  બોલિવૂડના ખેલાડીની ફિલ્મ  'બેલબોટમ' ૨૭ જુલાઈએ રિલીઝ થશે.

અક્ષય કુમારની ફિલ્મ 'બેલબોટમ'નું શૂટિંગ કોરોના કાળ દરમિયાન દરમિયાન જ પૂર્ણ થયું હતું. આટલું જ નહીં કોવિડની મહામારી દરમિયાન પણ પ્રોટોકોલનું પાલન સાથે ફિલ્મનું શૂટ પૂર્ણ કરનારી આ  પહેલી હિન્દી ફિલ્મ હોવાને કારણે તેની  પ્રશંસા કરવામાં આવી રહી છે.  સત્ય ઘટના પર આધારિત સસ્પેન્સફુલ જાસૂસી ડ્રામા ફિલ્મ હવે રિલીઝ માટે તૈયાર છે. આ સાથે જ ચાહકો પણ આ અક્ષયની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

અક્ષય કુમારે 'બેલબોટમ' ને લઈ ટ્વિટ કરીને લખ્યું છે કે, 'હું જાણું છું કે તમે 'બેલબોટમ'ની રાહ જોઇ રહ્યા છો. હું મારી ફિલ્મની રિલીઝ તારીખની ઘોષણા કરીને ખૂબ જ ખુશ છું.  તે ૨૭ જુલાઇએ મોટા પડદા પર વિશ્વભરમાં રજૂ થવા જઈ રહી છે.'

આ ફિલ્મમાં દેશના એવા હીરોની કહાની છે જે તમને વિચારવા પર મજબુર કરી દેશે. આ ફિલ્મમાં વાની કપૂર અક્ષય સાથે જોવા મળશે. આ ફિલ્મમાં લારા દત્ત્।ા પણ જોવા મળશે જે એક મહત્વપૂર્ણ ભૂમિકામાં નિભાવી રહી છે.  આ સાથે  જ ફિલ્મ મનોરંજનથી ભરેલી છે.  ફિલ્મના નિર્માતા પૂજા એંટરટેનમેંટના વશુ ભગનાની, જેકી ભગનાની, દીપશિખા દેશમુખ, મોનિષા અડવાણી, મધુ ભોજવાની અને નિખિલ અડવાણી છે. 'બેલબોટમ'નું દિગ્દર્શન રણજિત એમ. તિવારીએ કર્યું છે.  સ્ટોરી અસીમ અરોરા અને પરવેઝ શેખ દ્વારા લખવામાં આવી છે.

(10:04 am IST)