Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ખતરોં કે ખિલાડી 12: રોહિત શેટ્ટીના શોનો ભાગ બનશે અનેરી વજાની: અનુપમાને અલવિદા કહેશે?

મુંબઈ: મોટા પડદાની સાથે સાથે નાના પડદા પર પણ રોહિત શેટ્ટીની ખ્યાતિ છે. બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર રોહિત શેટ્ટીનો શો ખતરોં કે ખિલાડી ટૂંક સમયમાં જ તેની નવી સીઝન સાથે ફરી ધમાલ કરવા જઈ રહ્યો છે. ખતરોં કે ખિલાડી 12ની તૈયારીઓ નિર્માતાઓ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. હવે આ શોના સ્પર્ધકોની ફાઈનલ લિસ્ટ પણ સામે આવી છે. આ વખતે શિવાંગી જોશી, પ્રતિક સહજપાલ, રાજીવ અડતિયા, સૃતિ ઝા અને રૂબીના દિલાઈક સહિત ઘણા પ્રખ્યાત ટીવી કલાકારો આ શોમાં ભાગ લઈ રહ્યા છે. હવે આ યાદીમાં અભિનેત્રી અનેરી વજાનીનું નામ પણ જોડાઈ ગયું છે. અનેરી આ શો માટે શૂટ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

(2:58 pm IST)