Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

તેલુગુ કલાકારોની હિન્દી ટીવી શોમાં એન્ટ્રી

બોલીવૂડમાં તો સાઉથની ફિલ્મો પરથી હિન્દી ફિલ્મો બની જ રહી છે. હવે ટીવી શો પણ બનવા માંડ્યા છે. મુળ તેલુગુ શો ગોરિન્તકુનો હિન્દી રિમેક શો મહેંદી હૈ રચને વાલી સ્ટાર પ્લસ પર ૧૫મીથી શરૂ થયો છે. અન્ય એક શો આપ કી નઝરો ને સમજા પણ શરૂ થવાનો છે. મહેંદી હૈ રચને વાલી શોમાં મુખ્ય પાત્રો પણ તેલુગુ ઇન્ડસ્ટ્રીના છે. શિવાંગી ખેડકર અને સાઇ કેતન રાવ આ શો થકી હિન્દી ટીવી સિરીયલમાં એન્ટ્રી કરી ચુકયા છે.

 તેલુગુ સિરીયલની રિમેક હોવાથી કલાકારો પણ ત્યાંના લેવામાં આવ્યા છે. હૈદરાબાદની પૃષ્ઠભુમિક ધરાવતાંઆ શોમાં પલ્લવી દેશમુખ (શિવાંગી ખેડકર)ની કહાની છે. જે મેહનતુ અને પરિવાર માટે આધારસ્તંભ છે. તે પરિવારની જરૂરિયાત પુરી કરે છે, પણ તેને લગ્ન કરવા નથી. એ દરમિયાન તેના જીવનમાં રાઘવ રેડ્ડી (સાઇ કેતન રાવ)ની એન્ટ્રી થાય છે. શિવાંગી કહે છે આ સિરીયલની કહાની દર્શકોને સારો સંદેશો આપશે. સાઇ કહે છે હિન્દી સિરીયલમાં એન્ટ્રી થતાં હું ઉત્સાહીત છું. મને શુટીંગ દરમિયાન ઘણું શીખવા મળ્યું છે.

(10:43 am IST)