Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અંકિત લોખંડે કરી નવા રિલેશનની અંગેની જાહેરાત...

મુંબઈ:બોલીવુડમાં કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા’થી ડેબ્યૂ કરવા જઇ રહેલી ટીવીની હિટ અભિનેત્રી અંકિતા લોખંડેએ પોતાના સંબંધનો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે અંકિતાને પુછવામાં આવ્યું કે તે લગ્ન ક્યારે કરી રહી છે, તો અંકિતાનું કહેવું હતુ કે “હું પ્રેમમાં છું, પરંતુ લગ્નનું અત્યારે ખબર નથી.” ઉલ્લેખનીય છે કે અંકિતા અત્યારે બિલાસપુરનાં બિઝનેસમેન વિક્કી જૈનને ડેટ કરી રહી છે. વિક્કી પહેલા અંકિતા લોખંડે પોતાના કૉ-સ્ટાર સુશાંત સિંહ રાજપુત સાથે રિલેશનશિપમાં હતી. અંકિતાએ પોતાના રીલેશનને લઇને વાત કરતા કહ્યું કે, “હું રીલેશનશિપમાં છું, પરંતુ અત્યારે લગ્નનો મારો ઇરાદો નથી. અને જ્યારે પણ લગ્ન થશે હું જરૂર જણાવીશ અને એટલું જ નહીં હું લગ્નમાં પણ બોલાવીશ. હું હવે આ વિશે કંઇ જ નહીં કહું. હું અત્યારે ફક્તને ફક્ત મારા કામ પર ધ્યાન આપવા ઇચ્છુ છું.” ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલા ઝીટીવીનાં ‘પવિત્ર રિશ્તા’થી એક્ટિંગ કેરિયરની શરૂઆત કરનાર અંકિતા લોખંડેએ ડેલી શૉમાં કામ કરીને ઘણું નામ કર્યું હતુ. પોતાના 10 વર્ષનાં કેરિયર પછી અંકિતા હવે બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં અંકિતા ઝલકારી બાઈનાં પાત્રમાં જોવા મળશે. ઝલકારી બાઈ રાણી લક્ષ્મી બાઈ જેવી જ દેખાતી હતી અને તે તેમની નજીકની વ્યક્તિ હતી. આ ફિલ્મ માટે અંકિતાએ પણ ઘોડેસવારી અને તલવારબાજી શીખી છે.

(5:06 pm IST)