Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

વિનીતાનું બે વર્ષે ટીવી પરદે કમબેકઃ રાજમાતાનો રોલ

દિગ્ગજ અભિનેત્રી વિનીતા મલિક ટીવી પરદે પરત આવી રહી છે. તે કાલભૈરવ રહસ્ય-૨ નામના શોમાં રાજમાતાના રોલમાં જોવા મળશે. વિનીતા બે વર્ષ પછી ટીવી પરદે પરત આવી રહી છે. પોતાના પાત્ર વિશે તેણે કહ્યું હતું કે રાજમાતાની ભૂમિકા આ શોમાં મને મળતાં હું ખુબ જ ઉત્સુક છું. જે પરિવારની મુખીયા છે અને પરિવારને સુરક્ષિત રાખવાના તમામ પ્રયાસો કરતી રહે છે. મારું પાત્ર ખુબ સમજી વીચારીને લખવામાં આવ્યું છે. હજુ મેં શુટીંગ શરૂ કર્યુ નથી. વિનીતાએ ૨૦૦૭માં દિલ મિલ ગયેમાં કામ કર્યુ હતું. એ પછી છેલ્લે યે રિશ્તા કયા કહેલાતા હૈ શોમાં અક્ષરાની દાદીનો રોલ નિભાવ્યો હતો. વિનિતા કહે છે કાલભૈરવ રહસ્ય-૨માં દેખાડાયેલો સંઘર્ષ અત્યાર સુધીના કોઇ શોમાં જોવા મળ્યો નથી. આ શો દરેક દર્શકોમાં રોમાંચ ઉભો કરશે. શોમાં પોૈરાણિક મંદિરની રહસ્યમયી કહાની છે.

 

(9:51 am IST)