Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

દર્શકોને ફરી રોમાંચીત કરવા તૈયાર છે દિવ્યેન્દુ

ચાહકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે વેબ સિરીઝ મિરઝાપુર-૨ આગામી મહિને પ્રસારીત થવાની છે. આ સિરીઝના પાત્રો પણ ચાહકોને ખુબ ગમ્યા છે. જે પૈકી એક મજેદાર પાત્ર મુન્નાનું છે. દિવ્યેન્દુ શર્માએ આ પાત્રને જોરદાર રીતે નિભાવ્યું છે. તેણે લોકડાઉનના સમયમાં શું કર્યુ? અને કેવી રીતે સમય પસાર કર્યો? તે અંગે જણાવ્યું હતું કે એ સમય મારા પોતાના શોખ પુરા કરવામાં મેં પસાર કર્યો હતો. રસોઇ બનાવવી એ મારો શોખ છે, મેં તેમાં ખુબ સમય ફાળવ્યો હતો. મેં હમેંશા બિઝી શેડ્યુલને માણ્યું હતું. પરંતુ લોકડાઉને મને ભરપુર સમય આપ્યો હતો. ખુબ આરામ મેં આ સમયમાં કર્યો હતો અને અનેક પ્રકારની ચીજો મેં જાતે રાંધીને આરોગી હતી. ફિલ્મો જોવામાં પણ મેં સમય વિતાવ્યો હતો. આમ મહામારીના સમયમાં તેણે અનેક રચનાત્મક કામ કર્યા હતાં. મિરઝાપુર-૨માં તે ફરીથી મુન્નાના રોલથી દર્શકોને આશ્ચર્યચકિત કરવા તૈયાર છે.

(10:03 am IST)