Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

૯૦ના દશકનો શો ફરીથી આવી રહ્યો છે ટીવી પરદેઃ રોહિત રોયની મુખ્ય ભૂમિકા

જે રીતે બોલીવૂડમાં જુની સુપરહિટ ફિલ્મોની રિમેક બનાવીને રિલીઝ કરવાનો વાયરો ચાલી રહ્યો છે એ રીતે હવે ટીવી પરદે પણ વર્ષો જુની હિટ સિરીયલોને ફરથી દર્શકો સામે લાવવામાં આવી રહી છે. એકતા કપૂર કસોૈટી જિંદગી કીની સિકવલ લાવી રહી છે. તો હવે બીજા સમાચાર મુજબ ૯૦ના દસકની એક ટીવી સિરીયલ પણ ફરીથી આવી રહી છે. આ સિરીયલનું નામ છે-સ્વાભિમાન. દુરદર્શન પર એ વખતે સ્વાભિમાન અને શાંતિ જેવા ટીવી શો ખુબ ચાલ્યા હતાં. સ્વાભિમાનનું નિર્દેશન વિક્રમ ભટ્ટે કર્યુ હતું. અભિનેતા રોહિત રોયના કહેવા મુજબ ૨૧ વર્ષ પછી વિક્રમ ફરીથી ટીવી પરદા માટે કામ કરશે. શોની સ્ટોરી લાઇન એ જ હશે, પણ હવે વીસ વર્ષના લીપ સાથે શો શરૂ થશે. શોમાં ઋષમ મલ્હોત્રાની ભૂમિકા હું નિભાવી રહ્યો છું. દુરદર્શન પર અગાઉ આવેલા સ્વાભિમાનમાં કિટ્ટુ ગિડવાણી, અંજુ મહેન્દ્રુ, રોહિત રોય, દિપક પરાશર, આશુતોષ રાણા, અભિમન્યુ સિંહ અને કુનિકાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

(9:49 am IST)