Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

અમે સૌ દયાબેનને જલદી શોમાં વાપસી કરે તેવી પ્રાર્થના કરીએ છીએઃ જેઠાલાલ

 મુંબઇ,તા.૧૩, દિશાએ પ્રેગ્નેન્સી સમયે રજાઓ લીધી હતી. તે બાદ તેની વાપસીનો સીન જ નથી આવી રહ્યો. દિશા મેકર્સને વધુ ફિની ડિમાન્ડ કરી તો મેકર્સ તેને આટલી ફી આપવા તૈયાર નથી. એવામાં રિપોર્ટ્સે દાવો કર્યો છે કે તારક મહેતાની ટીમે નવી દયા બેન શોધવાની શરૂ કરી દીધી છે. અને આ બધાની વચ્ચે હાલમાં જ દીલિપ જોષીએ આ અંગે વાત કરી છે.

'તારક મેહતા...'નાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષી, દયા બેનનાં પતિનું કેરેક્ટર અદા કરી રહ્યાં છે. હાલમાં જ અંગ્રેજી અખબારને આપેલાં ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તે ઇચ્છે છે કે દિશા વાકાણી શોમાં પરત ફરે. પણ મેકર્સ કંઇક અલગ વિચારી રહ્યાં છે.રિપોર્ટ્સનું માનીયે તો, તેમનો પ્લાન છે કે દયાબેનનાં રોલ માટે તેઓ નવો ચહેરો શોધી રહ્યાં છે અને આ માટે તેમણે 'બડે અચ્છે લગતે હૈ' ફેઇમ વિભૂતિ શર્માનો અપ્રોચ કર્યો છે.

આ ઇન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ જણાવ્યું કે, 'બે વર્ષ પહેલાં દિશા વાકાણીએ જ્યારે ટીમને જણાવ્યું કે તે મેટરનિટી લીવ પર જઇ રહી છે તો આખી ટીમ અને ક્રૂ મેમ્બર્સ ટેનશનમાં આવી ગયા હતાં. તમામ વિચારમાં પડી ગયા હતાં કે વગર દયાબેન તો આ શો કેવી રીતે ચાલશે. કારણ કે જેઠાલાલ અને દયાનું કેરેક્ટર શોને બાંધી રાખે છે. તેમની જોડી જ શો માટે ખાસ છે. દયાનું કેરેક્ટર લીડ રોલ્સમાંથી એક છે.

(4:21 pm IST)