Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

આયુષ શર્માની ફિલ્મ લવરાત્રિમાં રંગલો ગરબો જોવા મળશે

મુંબઇ :સુપર સ્ટાર સલમાન ખાનની એના બનેવી આયુષ શર્માને મુખ્ય રોલમાં રજૂ કરતી ફિલ્મ નવરાત્રિમાં ગુજરાતી સદાબહાર ગરબો રંગલો જામ્યો કાલિંદીને... પણ હશે એવી માહિતી મળી હતી. આ ફિલ્મ નવરાત્રિ પર રજૂ થવાની જાહેરાત થયા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંસ્થાઓએ એના ટાઇટલનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે નવરાત્રિ અને લવરાત્રિ બંને સરખાં લાગે છે. આ ટાઇટલ હિન્દુપ્રજાની ધાર્મિક લાગણી દૂભાવે છે એટલે ટાઇટલ બદલવામાં નહીં આવે તો અમે ફિલ્મ રજૂ નહીં થવા દઇએ. હવે એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગરવા ગુજરાતી ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસનો ચિરયુવાન ગરબો રંગલો જામ્યો કાલિંદીને ઘાટ ... જુદી રીતે એટલે કે નવા વર્ઝનમાં આ ફિલ્મમાં રજૂ કરવાની સલમાન ખાનની યોજના છે. લવરાત્રિ ફિલ્મ ગુજરાતી રહેણીકરણી પર આધારિત કથા ધરાવે છે. એટલે ઓથેન્ટિક ગુજરાતી માહોલ સર્જવાની સલમાન ખાનની ઇચ્છા છે.

 

(6:40 pm IST)