Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

સુપ્રસિદ્ધ બંગાળી અભિનેત્રી "પલ્લવી ડે" એ પંખે લટકીને જીવ દીધો

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો : બંગાળ પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી

કોલકતા :બંગાળી અભિનેત્રી પલ્લવી ડે કોલકાતાના ગરફા વિસ્તારમાં તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી.  રવિવારે સવારે તેના ઘરેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

 "પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો મામલો હોય તેમ લાગે છે", તેમ પોલીસે જણાવ્યું હતું.  પલ્લવીની લાશ સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.  મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
 બંગાળ પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
 આ બંગાળી ટીવી અભિનેત્રી 'મોન માને ના' માં ગૌરી તરીકેની મુખ્ય ભૂમિકા ભજવવા માટે જાણીતી હતી.  તેણીએ રેશમ જાપી, સરસ્વતી પ્રેમ અને અમી સિરાજેર બેગમ સહિતના અન્ય ઘણા શોમાં પણ કામ કર્યું છે.

(4:38 pm IST)