Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મધર્સ ડે પર રણબીર કપૂરની મમ્મી નીતુ સિંહે આલિયા વિશે કહી આ વાત। .....

મુંબઇ: મધર્સ ડેના દિવસે આલિયાએ તેની માતાને સુંદર સંદેશો આપ્યો હતો. તેમજ તેની માતાએ પણ તેનો સુંદર ઉત્તર આપ્યો હતો. આ પોસ્ટમાં નીતુ સિંહ પણ જોડાઇ હતી અને તેણે આલિયાને પોતાની સૌથી વધુ પસંદ અભિનેત્રી હોવાનું પોસ્ટ કર્યું હતું. ્હાલ આલિયા અને રણબીરના સંબંધોની ચર્ચા જાહેરમાં થઇ રહી છે. આ જોડી આગામી ફિલ્મ બ્રહ્માશ્ત્રમાં સાથે દેખાવાનું છે. તેથી આ ફિલ્મની પબ્લિસિટિ માટે તેઓ સાથે દેખાઇ રહ્યા છે કે પછી ્ખરેખર બન્ને ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવી ગયા છે. જોકે આ બાબતે આમાં એક આશ્ચર્યજનક વાત એ છે કે રણબીરની માતા નીતુ સિંહ કપૂર પણ આલિયામાં અંગત રસ લઇ રહી છે. અત્યાર સુધી તેણે રણબીરની એક પણ અભિનેત્રીમાં આટલો રસ દાખવ્યો નહોતો. જોકે હવે તે પણ જાણી ગઇ છે કે રણબીરને એક હિટ સફળતાની જરૃર છે તેમજ તેના પુત્રને એક લાયક યુવતી સાથે લગ્ન કરાવાના છે. ઉલ્લેખનીય છે કે રણબીર અને કેટરિનાના સંબંધથી નીતુ નારાજ હતી. એક સમયે તેણે કેટરિનાને ખર્ચાળ અભિનેત્રી ગણાવી હતી. તેમજ રિશી કપૂરે તેના પુત્રને તેનાથી જુદો રહેવા મજબૂર કર્યો તેમ કહીને નારાજગી વ્યક્ત કરી હતી.
 

(5:06 pm IST)