Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

શું મંત્રાલયના અધિકારીઓ કરતા વધારે છે તૈમૂરની આયાનો પગાર?

મુંબઇ,તા.૧૪,એ વાતમાં તો કોઇ શંકા નથી કે કરિના કપૂર ખાન બોલિવુડ સૌથી સારી એક્ટ્રેસીસમાંથી એક છે. કરિના ઘર અને કામને સારી રીતે સંભાળી શકે છે, જોકે ઘણી વખત પોતાના બિઝી શેડ્યૂલના કારણે દિકરા તૈમૂરની સાથે ઓછો સમય પસાર કરવાના લીધે ટ્રોલિંગનો પણ શિકાર થઇ છે. જોકે તેણે એ વાતનુ ક્યારેય ધ્યાન નથી આપ્યુ. તૈમૂરની સંભાળ રાખવા માટે આ સ્ટાર કપલે એક આયા પણ રાખ્યા છે. તાજેતરમાં જ તૈમૂરની આયાની સેલેરી વિશે સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઇ ત્યારે કરિનાએ પોતાનું રિએક્શન આપ્યુ હતુ.

તાજેતરમાં જ કરિના કપૂર બોલિવુડ સ્ટાર અરબાઝ ખાનના શોમાં પહોંચી હતી. આ શોમાં જ્યારે અરબાઝે કરિનાને પૂછ્યુ કે, તૈમૂરના આયાને કેટલાક મંત્રાલયના અધિકારીઓ કરતા પણ વધારે સેલેરી મળે છે? તો સવાલ પર કરિનાને આશ્ચર્ય થયુ હતુ. આ વિશે તેણે કહ્યુ કે, ખરેખર? તેમને કેવી રીતે ખબર પડી? આની પર તો મંત્રાલયે વિચારવુ જોઇએ. કરિનાએ આગળ કહ્યુ કે, ''તેની કોઇ જ કિંમત નથી. જ્યારે તમારું બાળક ખુશ અને સુરક્ષિત હોય તેની કોઇ જ કિંમત નથી.''

કરિનાએ પૂછ્યુ કે, ''તેનાથી શું ફરક પડે છે જો હુ આયાને માત્ર હજાર રૂપિયા આપુ? ફરક એ વાતનો પડે છે કે બાળક સુરક્ષિત રહેવુ જોઇએ.  કરિના કપૂર પોતાની અપકમિંગ ફિલ્મ ગૂડ ન્યૂઝમાં અક્ષય કુમાર સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં દલજીત દોસાંઝ અને કિયારા અડવાણી પણ જોવા મળશે. તાજેતરમાં આ ફિલ્મના સેટ પરથી કેટલીક ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી.

(3:47 pm IST)