Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

'વો કોન થી'ની રીમેક બનાવશે પ્રેરણા અરોરા

મુંબઇ: 'રુસ્તમ, ટોયલેટ એક પ્રેમ કથા, પેડમેન અને પરી ફિલ્મ બાદ નિર્માતા પ્રેરણા ૧૯૬૪ની ક્લાસિક ફિલ્મ 'વહ કોન થીની રીમેક બનાવાશે. માટે તેમણે નિર્માતા એન એન સિપ્પી પાસેથી ફિલ્મના હક્ક મેળવી લીધા છે. એક સાઇકોલોજિકલ થ્રિલર ફિલ્મ હતી. જેનું દિગ્દર્શન રાજ ખોસલાએ કર્યું હતું. અને મનોજ કુમાર અને સાધનાની જોડીએ રૃપેરી પડદે તરખાટ મચાવ્યો હતો.અક્ષય કુમાર ફિલ્મમા મુખ્ય પાત્ર ભજવે તેવી શક્યતા છે તો વળી  ફિલ્મમાં શાહિદ કપૂર અને ઐશ્વર્યાના નામની પણ ચર્ચા થઇ રહી છે. પ્રેરણા અરોરાને અક્ષય કુમાર સાથે કામની ફાવટ આવી ગઇ છે. તેણે અભિનેતા સાથે રુસ્તમ, ટોઇલેટ એક પ્રેમ કથા અને પેડમેન જેવી ફિલ્મો બનાવી છે. હવે અભિનેતા સાથે ચોથી ફિલ્મ પણ બનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. તો વળી ફિલ્મ માટે શાહિદ કપૂરનું નામ પણ આવી રહ્યું છે ફિલ્મના ગીત પણ લોકપ્રિય થયા હતા. 'લગ જા ગલે અને નૈના બરસે બન્ને ગીતકોકિલકંઠી લતામંગેશકરે ગાયા હતા. નિર્માતા અને પ્રોડકશન હાઉસ ઓનર પ્રેરણા અરોરાએ કહ્યું હતું કે, બન્ને ગીત ફિલ્મની જાન છે, ગીત વગર ફિલ્મ બનાવવાનું વિચારી પણ શકાય. ફિલ્મને અમે મનોજ કુમારને સમર્પિત કરશું.

(8:22 pm IST)