Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

સિનેમાના દિગજ્જ અભિનેતા દિલીપકુમારે ઉજવ્યો 97મોં જન્મદિવસ : તસ્વીર મૂકીને શુભેચ્છકોનો આભાર માન્યો

મારા અસીમ પ્રેમ, સ્નેહ અને દુવાઓ જોઇને મારી આંખો કૃતજ્ઞાતાના આંસુઓથી ભીની થઇ જાય છે

 

મુંબઈ : ભારતીય સિનેમાના પીઢઅભિનેતા દીલિપ કુમારે ૧૧મી ડિસેમ્બરે પોતાનો ૯૭મો જન્મદિવસ ઊજવ્યો. બોલીવૂડમાં ચારેબાજુથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે. પરંતુ બોલીવૂડમાં તેમની સૌથી વધુ નજીક અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન છે.

 

આ દિવસે તેમના ચાહકો તરફતી સોશિયલ મીડિયા પર તેમને ઘણી શુભેચ્છાઓ મળી હતી. જેમનો આભાર પીઢઅભિનતાએ પોતાની તસવીર મુકીને માન્યો છે.

   દિલીપ સાહેબે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે, ' ૯૭મા જન્મદિને નિમિત્તે મને ૧૦ ડિસેમ્બરની રાત્રિથી જ ફોન અને સંદેશા આવી રહ્યા છે. આ માટે હું બધાનો આભાર માનું છું. મારા માટે આ ઉત્સવનું ખાસ મહત્વ નથી. પરંતુ તમારા અસીમ પ્રેમ, સ્નેહ અને દુવાઓ જોઇને મારી આંખો કૃતજ્ઞાતાના આંસુઓથી ભીની થઇ જાય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, દીલિપ કુમારનું સોશિયલ મીડિયા પરના તમામ અકાઉન્ટને તેમની પત્ની સાયરા બાનુ સંભાળી રહી છે. હાલમાં જ્યારે લતા મંગેશકર હોસ્પિટલમાંથી સારવાર બાદ ઘરે પરત આવ્યા ત્યારે પણ દીલિપ કુમાર વતી તેમને સોશિયલ મીડિયા પરથી શુભેચ્છા આપી હતી.

(1:04 am IST)