Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

દે દે પ્યાર દે... હવે માર્ચમાં આવશે અજયની ફિલ્મ

બોલીવૂડનો સિંઘમ અજય દેવગણ દરેક પ્રકારના રોલ માટે જાણીતો છે. એકશન, કોમેડી અને કોઇના જીવન ચરિત્ર પરની ફિલ્મોમાં તે જમાવટ કરી દે છે. હાલમાં અજય પોતાના મહત્વના પ્રોજેકટ 'તાનાજી-ધ અનસંગ હીરો'માં ખુબ જ વ્યસ્ત છે.  તાનાજી માલુસરે મરાઠી યોધ્ધા હતાં. છત્રપતિ શિવાજી મહારાજના સૈેન્યમાં તાનાજી ખુબ જ મહત્વના યોધ્ધા હતાં. બીજી તરફ તે 'દે દે પ્યાર દે' જેવ રોમાન્ટીક કોમેડી ફિલ્મ પણ કરી રહ્યો છે. આ ફિલ્મ ૨૨ ફેબ્રુઆરી-૨૦૧૯ના રોજ રિલીઝ થઇ જવાની હતી. પણ હવે ફિલ્મની તારીખ આગળ વધારી દેવામાં આવી છે.

હવે આ ફિલ્મ ૧૫ માર્ચના રિલીઝ થશે. હોળીના તહેવાર પર આ ફિલ્મને ખુબ ફાયદો મળશે તેવી નિર્માતાઓને આશા છે. જો કે તારીખ ખરેખર શા માટે બદલાઇ તે સ્પષ્ટ થયું નથી. અજય સાથે તબ્બુ અને રકુલપ્રિત મુખ્ય રોલમાં છે. મોટા ભાગનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. પોસ્ટ પ્રોડકશનનું કામ જ બાકી છે. લવરંજનની આ ફિલ્મનું નિર્દેશન અકીવ અલીએ કર્યુ છે.

(10:02 am IST)