Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ભારતી અને કૃષ્ણાની જોડી નવા શોથી દર્શકોને હસાવશે

નવા ટીવી શોનું શુટીંગ શરૂ થયા પછી કલાકારો લાંબા સમય બાદ સેટ પર પહોંચી ખુશ થઇ રહ્યા છે. જો કે સોશિયલ ડિસ્ટન્સ સહિતના અનેક નિયમોનું પાલન કરવું પડતું હોવાથી તકલીફો પણ પડી રહી છે. કોમેડી શો ધ કપિલ શર્મા શોનું શુટીંગ પણ શરૂ થઇ ગયું છે. આ શોમાં કામ કરી રહેલા કૃષ્ણા અભિષેક, ભારતીસિંહ અને ચંદન એક નવા શોમાં પણ સાથે જોવા મળવાના છે. 'ફનહિત મેં જારી' નામના શોનું ત્રણેય શુટીંગ કરી રહ્યા છે. કૃષ્ણાએ એક પોસ્ટર પોસ્ટ કરીને ભારતીસિંહ સાથેના શોની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે આ શો કોમેડીનો ડોઝ દર્શકો સુધી પહોંચાડશે. ફરીથી અમારી જોડી દર્શકોને હસાવવાનો પ્રયાસ કરશે. કૃષ્ણાએ કહ્યું હતું કે સેટ પર જિંદગી બદલાઇ ગઇ છે. એટલે કે લોકડાઉન પછી શુટીંગ શરૂ થવાથી અનેક ગાઇડલાઇન્સનું પાલન કરવું પડે છે. લાંબા સમય પછી શુટીંગ કરવામાં અનેક ચીજો બદલાઇ ગઇ છે. દર દસ મિનીટે હાથ સેનેટાઇઝ કરવા પડે છે. એક બીજાથી દૂર રહેવું પડે છે. કપડા પણ લંચ-ડીનર પછી તરત બદલવા પડે છે.

(9:53 am IST)