Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ડો.હાથીને દર હતો કે વજન ઉતારી દઈશ તો કામ નથી મળે

મુંબઈ:ટીવી પરના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જાણીતા કલાકાર ડો.હાથી ઉર્ફે કવિ કુમાર આઝાદના અચાનક થયેલા નિધનથી હજી પણ તેમના ચાહકો આઘાતમાં છે.

લોકપ્રિય કલાકારની અગાઉ સારવાર કરી ચુકેલા ડોક્ટર મુફી લાકડાવાલાએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.તેમનુ કહેવુ છે કે કવિ પોતાનુ વજન ઘટાડવા માંગતા નહોતા,તેમના લાગતુ હતુ કે જો વજન ઓછુ થઈ જશે તો કદાચ તેમને કામ મળતુ બંધ થઈ જશે.

ડો.લાકડાવાલાના કહેવા પ્રમાણે 8 વર્ષ પહેલા કવિ કુમાર આઝાદ મારી પાસે આવ્યા હતા.તે સમયે તેમનુ વજન 265 કિલો હતુ. બીમારીના કારણે તેઓ સેટ પર બેહોશ થઈ ગયા હતા.

એક તબક્કે તેમને વેન્ટિલેટર પર રાખવા પડયા હતા.પહેલી બેરિયાટ્રિક સર્જરી પછી તેમનુ વજન 140 કિલો થયુ હતુ. પછી બીજી સર્જરી કરાવવાની જ્યારે સલાહ આપી ત્યારે તેમણે ઉપરોક્ત ડર વ્યક્ત કર્યો હતો.

(2:48 pm IST)