Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

માફિયાઓ-અંડરવર્લ્ડને પ્રોત્સાહિત કરવા કેમ ફિલ્મ બનાવે છે ?:સંજુ પર સંઘનો સવાલ

મુંબઈ :બૉલીવુડ અભિનેતા સંજયદત્તની બાયોપિક મનાતી ફિલ્મ સંજુ ખુબ જ હિટ નીવડી રહી છે બોક્સ ઓફિસમાં ધમાલ સર્જી રહી છે ત્યારે RSSના મુખપત્ર પાંચજન્યના તાજા અંકમાં 'સંજુ' ફિલ્મની ખુબ જ આલોચના કરવામાં આવી છે

 કવર સ્ટોરી 'કિરદાર દાગદાર'માં પૂછાયું છેકે, 'સંજુ બનાવવા પાછળ રાજકુમાર હિરાનીનો ઉદેશ્ય શું સંજય દત્તની છબીમાં ચાર-ચાંદ લગાવવાનો છે? કે બૉક્સ ઓફિસ પર પૈસા એકઠા કરવા? શું સંજયની જિંદગીમાં યુવાનોને શીખવા જેવુ છે? બોલીવુડ માફિયાઓ-અંડરવર્લ્ડને પ્રોત્સાહિત કરવા કેમ ફિલ્મ બનાવે છે?

(1:08 am IST)