Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પુત્ર સાથે સમય પસાર કરવા માટે કરીના કપૂરે આશુતોષ ગોવારીકરની ફિલ્મ નકારી

મુંબઇ : એકતા કપૂર અને રિયા કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગ સુપરહિટ નીવડી છતાં કરીના કપૂરે તાજેતરમાં ટોચના ફિલ્મ સર્જક આશુતોષ ગોવારીકરની એક ફિલ્મ નકારી કાઢી હોવાની જાણકારી મળી હતી. આશુતોષ અગાઉ લગાન, જોધા અકબર અને મોહેં જો દારો જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. વીરે દી વેડિંગ હિટ નીવડતાં કરીનાને ઢગલાબંધ ઑફર્સ મળી હતી પરંતુ હાલ કરીના કોઇ મોટી ફિલ્મ કરવાના મૂડમાં નથી એવું જણાતું હતું. 'હાલ મારા પુત્ર તૈમૂરને મારી ખાસ જરૃર છે. એને લાંબો સમય હું આયા સાથે રહેવા દઇ શકું નહીં' એમ જણાવતાં કરીનાએ કહ્યું કે મને થોડીક ફિલ્મોની ઑફર્સ મળી હતી પરંતુ મારે છૂુટકે ના પાડવી પડી હતી. હિટ મરાઠી ફિલ્મ આપલા માનુષની હિદી રિમેક માટે આશુતોષે કરીનાનો સંપર્ક સાધ્યો હતો પરંતુ કરીનાએ સવિનય ના પાડી હતી અને કહ્યું હતું કે મારો પુત્ર હજુ ખૂબ નાનો છે અને હાલના તબક્કે એને માતાની વધુ જરૃર છે. એટલે હું જોખમ લઇ શકું નહીં. મારે આશુતોષ જેવા ટોચના ડાયરેક્ટરને પણ ના પાડવી પડી. કરીનાની નિકટનાં સૂત્રોએ કહ્યું કે હાલ કરીનાની પ્રાયોરિટી એનું સંતાન છે. એનો પુત્ર હજુ ધાવણો છે અને માતા પર આધાર રાખે છે. થોડોક સમજણો થાય ત્યારે નવી ઑફર્સ સ્વીકારવી એવું માને છે.

(4:05 pm IST)