Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

શત્રુઘ્‍નસિંહાએ વીડિયો દ્વારા મોદી સરકારને સવાલ પૂછીને જવાબ માંગતા સોશ્‍યલમીડિયા ઉપર ટ્રોલ થવા લાગ્‍યા

નવી દિલ્હી: એક્ટર અને પોલિટિશિયન શત્રુઘ્ન સિન્હાએ સોશિયલ મીડિયા પર મજૂરો પર એક વીડિયો શેર કર્યો અને ટ્રોલ થવા લાગ્યાં. વાત જાણે એમ છે કે શત્રુઘ્ન સિન્હાએ આ વીડિયો દ્વારા મોદી સરકારને એક સવાલ પૂછીને જવાબ પણ માગ્યો છે. જો કે સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયો જૂનો ગણાવ્યો છે.

વીડિયોમાં રસ્તા પર હજારોની સંખ્યામાં મજૂરો અને કામદારો જોવા મળી રહ્યાં છે. જે લોકો ઘર વાપસી માટે પગપાળા ચાલી રહ્યાં છે અને કેટલાક રસ્તા કિનારે રાહ જોઈ રહ્યાં છે. વીડિયોની સાથે તેમણે લખ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર પર વિશ્વાસ જતાવતા...આપણા પ્રવાસીઓની દયનીય દુર્દશા છે. કઈ દિશામાં મુસાફરી કરી રહ્યા છે સર? જયહિન્દ!

સિન્હાની પોસ્ટ પર યૂઝર્સ પોત પોતાની પ્રક્રિયા કોમેન્ટ બોક્સમાં લખી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે સર જાગી જાઓ, નવી દિલ્હીના આનંદ વિહારનો જૂનો વીડિયો છે. અન્ય એક યૂઝરે લખ્યું કે બધુ મોદીજી કરશે, રાજ્ય સરકારની શું જવાબદારીઓ છે? એક યૂઝર લખે છે કે તમે ખામોશ જ રહ્યાં કરો. 2 મહિના બાદ જૂની દિલ્હીનો વીડિયો પોસ્ટ કરીને શું સાબિત કરવા માંગો છો? આ તમામ યૂઝર્સે લખ્યું કે જૂનો વીડિીયો શેર કરીને નફરત ફેલાવવાની વાત થઈ છે.

(5:25 pm IST)