Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ફિલ્મ તખ્ત માટે અનિલ કપૂર વધારી રહ્યા છે વજન

મુંબઈ:બોલીવુડના ફિટનેસ માટે જાણીતા અનિલ કપૂર પોતાનું વજન વધારશે. આવુ કરવા પાછળ આ કારણ જવાબદાર છે. વાત જાણે એમ છે કે ડાયરેક્ટર કરણ જોહરની આગામી ફિલ્મ માટે અનિલ કપૂર પોતાનો વજન વધારી રહ્યા છે. આ રોલ એટલો દમદાર છે કે અનિલ કપૂર વજન વધારવા તૈયાર થઈ ગયા છે. આ માટે તે ખાસ ડાયટ ફોલો કરી તેનું વજન વધારશે. એક રિપોર્ટ અનુસાર કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં અનિલ કપૂર શાહજહાંની ભુમિકા નિભાવશે. આ રોલ માટે તે પોતાનું વજન વધારી રહ્યા છે. કરણ જોહરની આ ફિલ્મમાં રણબીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જ્હાન્હવી કપૂર અને અનિલ કપૂર મહત્વપૂર્ણ ભૂમિકા કરી રહ્યા છે.આ ફિલ્મ તેની સ્ટાર કાસ્ટ અને બેનરના કારણે ઐતિહાસિક ફિલ્મ ચર્ચામાં છે. કહેવાય છે કે આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. કરણ જોહરે ખુદે આ વાતની પુષ્ટી કરી હતી. આ ફિલમ ઈતિહાસની કહાની પર આધારિત છે. ફિલ્મમાં ઈતિહાસની ગરિમાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. કરણ જોહરે આ ફિલ્મ અંગે કહ્યુ હતુ કે આ ફિલ્મ સત્ય ઐતિહાસિક ઘટના પર આધારિત છે, આ પુરી રીતે ઈતિહાસ પર આધારિત છે એટલે ખુબજ મહત્વપૂર્ણ ગણાય છે.હાલ તો આ ફિલ્મને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે.

(5:57 pm IST)