Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

પોતાનો પ્રેમ મેળવવા માટે આ અભિનેત્રીઓએ બદલ્યો ધર્મ

મુંબઈ: આજે તમને બોલીવુડની આ અભિનેત્રીઓ વિશે માહિતી આપીશુ જેમને પોતાનો પ્રેમ મેળવવા માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો.
અમૃતા સિંહ: 90ના દાયકામાં ફેમસ અભિનેત્રી અમૃતા સિંહ શીખ ધર્મથી હતી જયારે તેને સૈફ અલી ખાન સાથે પ્રેમ થયો ત્યારે તેની સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો.
નરગીસ દત્ત: નરગીસ દત્તે પ્યાર થતા તેને ધર્મને આડે નથી આવવા દીધો. નરગીસે અભિનેતા સુનિલ દત્ત સાથે લગ્ન કરીને મુસ્લિમ ધર્મથી હિન્દૂ ધર્મ અપનાવ્યો. તેને પોતાનું નામ નિર્મળ દત્ત રાખ્યું.
શર્મિલા ટાગોર: શર્મિલા ટાગોરાએ એક બંગાળી ફિલ્મ અભિનેત્રી તરીકે પોતાનું કેરિયર શરૂ કર્યું અને તેને મંસૂર અલી ખાન પટોળી સાથ લગ્ન કરીને કર્યા જે એક નવાબ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન હતા.
દિવ્યા ભારતી: થોડાક જ લોકોને ખબર છે કે બોલીવુડની અભિનેત્રી દિવ્યા ભારતીનું કેરિયર ખુબ ટૂંકું હતું પણ સફળ હતું.દિવ્યા ભારતી હિન્દૂ ધમની હતી અને તેને પોતાના પ્રેમ મેળવવા માટે ઇસ્લામ ધર્મ અપવાવ્યો હતો.
મમતા કુલકર્ણી: મમતા કુલકર્ણી વિકી નામના એક યુવક સાથે પ્રેમ કરતી હતી જે એક મુલ્સિમ હતો અને તેની સાથે લગ્ન કરવા માટે તેને મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.

 

 

(2:28 pm IST)