Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

મારો સ્વભાવ નારિયેળ જેવો છે: અર્જુન કપૂર

મુંબઇ : હોનહાર અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે હું તો નારિયેળ જેવો છું. બહારથી સખ્ખત દેખાઉં છું પરંતુ ભીતરથી એકદમ સંવેદનશીલ છું.'અગાઉ હું મારી બહેન અંશુલા, રિયા અને સોનમ સાથે ઘનિષ્ઠ સંબંધોથી જોડાયેલો હતો. જાન્હવી અને ખુશી સાથે નિકટતા નહોતી. પરંતુ હવે બંને પણ મારી આત્મીય થઇ ચૂકી છે અને બંનેને પણ હું ખૂબ ચાહું છું. એક સેકંડમાં એવી ઘટના બની ગઇ કે મારા પિતાને અને મારી બહેનોને મારી ખૂબ જરૃર છે એનો મને ખ્યાલ આવી ગયોતમે એમ કહી શકો કે હું એમને માટે અત્યંત પ્રોટેક્ટિવ (સંરક્ષક જેવોબની ગયો છું. મને નિકટથી ઓળખનારા નારિયેળ જેવો મારો સ્વભાવ બરાબર જાણે છે. જેમને જાણ નથી એમને બાબતનો ખ્યાલ નથી.'હવે અમે બધાં ભાઇબહેનો એકમેકની નિકટ છીએ અને જાન્હવી તથા ખુશી પણ અમારાં જેવાંજ સરસ વ્યક્તિત્ત્વો છે એનો અમને સૌને ખ્યાલ આવી ગયો છે. નારિયેળ બહારથી સખત હોય છે પરંતુ ભીતર નરમ હોય છે. મારું પણ એવું છે. બહારથી હું ગમે તેટલો સખત દેખાતો હોઉં, ભીતરથી હું એકદમ નરમ છું.જાન્હવીની જેમ અર્જુને પણ પોતાની પહેલી ફિલ્મ ઇશકઝાદેંની રજૂઆતના થોડા દિવસ અગાઉ પોતાની માતા ગુમાવી હતી એટલે જાન્હવીના દુઃખને બરાબર સમજી શક્યો હતો. જાન્હવીની પહેલી ફિલ્મ ધડક રજૂ થવા અગાઉ થોડા દિવસ પહેલાં શ્રીદેવીનંુ દૂબઇમાં અવસાન થયું હતું.

 

(5:14 pm IST)