Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

આદિત્ય ચોપડા રણવીર સિંહને લઈને બનાવશે ફિલ્મ

મુંબઇ: પ્રતિષ્ઠિત બેનર યશ રાજના આદિત્ય ચોપરા અને ટોચનો અભિનેતા રણવીર સિંઘ ફરી એકાદી ફિલ્મ સાથે કરશે એવી જાણકારી મળી હતી. અગાઉ આદિત્યે શાહરુખને નિર્દેશન આપીને ત્રણેક ફિલ્મો બનાવી હતી. રણવીર સાથે એના કરાર થાય તો એ બંનેની આ બીજી ફિલ્મ હશે એવું પણ જાણવા મળ્યું હતું. રણવીર હાલ બે ફિલ્મ કરી રહ્યો છે. એમાં એક ફિલ્મ ૧૦૦ કરોડની કમાણી કરતી ફિલ્મો બનાવનારા રોહિત શેટ્ટીની સિમ્બા છે જ્યારે બીજી ફિલ્મ ઝોયા અખ્તરની ગલી બૉય છે. હાલ બંને ફિલ્મોના શૂટિંગ્સ ચાલુ છે. પદ્માવત પછી રણવીરે એવી સ્પષ્ટતા કરી હતી કે હવે પછી હું નેગેટિવ રોલ્સ નહીં કરું. પાત્રમાં એાતપ્રોત થઇ જવાથી મારા મન પર એની વિપરિત અસર થાય છે. પોઝિટિવ રોલ મળે તો કરીશ. આદિત્યની નિકટનાં સૂત્રોએ કહ્યું કે આદિત્યે પોતાના મનમાં જે સ્ટોરીલાઇન છે એની ચર્ચા રણવીર સાથે કરી હતી અને  રણવીરને એ સ્ટોરીલાઇન ગમી હતી. યશ રાજની પરંપરા મુજબ આ એક કૌટુંબિક કથા હશે જેને બાળકોથી માંડીને દાદા દાદી પણ સાથે બેસીને નિઃસંકોચ જોઇ શકે. રણવીરનેે હજુ જો કે ઔપચારિક રીતે સાઇન કરાયો નથી. એ પોતાની તારીખો વગેરે જોઇને ત્યારબાદ ફરી એકવાર આદિત્ય સાથે બેઠક યોજશે.
 

(6:01 pm IST)