Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ફિલ્મોમાં નેગેટિવ ભૂમિકા કરવામાં રસ રહ્યો નથી રણવીર સિંહને

મુંબઈ:રણવીરસિંહને હવે ફિલ્મોમાં નેગેટિવ ભૂમિકા કરવામાં રસ રહ્યો નથી. છેલ્લે ‘પદમાવત’ ફિલ્મમાં તેણે અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકા પછી તેની માનસિક સ્થિતિ પર અસર પડી હતી એટલે જ તેણે કરણ જોહરની આગામી ફિલ્મ ‘તખ્ત’માં રંગઝેબની ભૂમિકા ભજવવાનો ઇનકાર કરી દીધો છે. આ ફિલ્મમાં તે શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પાત્ર એકદમ સકારાત્મક છે, કેમ કે દારા ખૂબ જ ઉદાર મનનો હતો. આ ફિલ્મમાં હવે રંગઝેબની ભૂમિકા વિકી કૌશલ ભજવી રહ્યો છે.

(7:22 pm IST)